Archives

શ્રી રામ ના ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ ગુજરાત યાત્રાનો કચ્છથી થયો આરંભ

હાલમાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જીએલસીસી) અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે બાળકોમાં ભગવાન રામ જેવા ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ કાર્યશાળાના પ્રથમ ચરણ સાથે પર્વ ફ્યુઝન બેન્ડ ની ગુજરાત યાત્રાનો થયો પ્રારંભ. જેમાં ૫૦ થી પણ વધુ બાળકોએ ભાગ લીધો.

Read More

એક જ પરિવારના ત્રણ કલાકારોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ કાર્યો બદલ મળ્યો ‘અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ’

ગાંધીનગર ખાતે યોજાયેલ ‘અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ ૨૦૨૪’ માં કલા અને સાહિત્ય થકી સંસ્કૃતિનું સંવર્ધન કરી રહેલા કચ્છના નામી કલાકારો ડૉ. કૃપેશ ઠક્કર અને તેમના સંતાનો વાચા ઠક્કર અને પર્વ ઠક્કરને આ રાજ્ય કક્ષાના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

Read More

બાળકોને પ્રેરણા આપતી કચ્છની બાર વર્ષીય લેખિકા વાચા ઠક્કર ને મળ્યું વિશેષ સન્માન

કચ્છની ઝળહળતી બાળ લેખિકા વાચા ઠક્કર ના ભારતીય સંસ્કૃતિ પર આધારિત પુસ્તક ‘સનાતન વર્ડ સર્ચ’ ને તેના ચાહકો તેમજ શાળાઓ અને વિદ્યાર્થી વર્ગનો બહોળો પ્રતિસાદ મળતાં ગુજરાતની જાણીતી સંસ્થાઓ કર્મા ફાઉન્ડેશન અને ગુજરાતી બુક ક્લબ એ અમદાવાદ ખાતે યોજાયેલ ‘પ્રથમ પુસ્તક સન્માન સમારોહ’ માટે સાહિત્ય અને કલા થકી બાળકોને પ્રેરણા આપતી વાચા ઠક્કર ને વિશેષ આમંત્રણ આપ્યું હતું. જેમાં આમંત્રિત મહાનુભાવો મિતલબેન પટેલ, દક્ષાબેન પટેલ અને રાધાબેન મહેતા સાથે સંસ્થાના અગ્રણી શ્રી સ્નેહલભાઈ પટેલ એ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી કચ્છની દીકરી વાચાનું સન્માન કર્યું.

Read More

શહીદ દિવસે પર્વ ફ્યૂઝન બેન્ડ એ શહીદોને સમર્પિત કર્યું ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીત

અંજાર-કચ્છના ડૉ. કૃપેશ ઠક્કર અને બાળ કલાકારો વાચા ઠક્કર અને પર્વ ઠક્કર એ માતૃભૂમિ માટે કુરબાન થયેલા શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને સ્વરાંજલી આપતા ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીતનું નિર્માણ કર્યું. જે ગિવ વાચા ફાઉન્ડેશનના હેરિટેજ પર્વ અંતર્ગત કૃપ મ્યુઝિક દ્વારા વૈશ્વિક સ્તરે લોન્ચ થયું.

Read More

પૂજ્ય ગુરુમૈયા ડૉ. હરેશ્વરીદેવીજીને હસ્તે ડૉ. કૃપેશ ઠક્કરને મળ્યો ‘સંગીત-સાહિત્ય રત્ન ઍવોર્ડ’

હાલમાં જ્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા સમાજમાં આગવું સ્થાન ધરાવતા વ્યક્તિઓને વિશેષ સન્માન અર્પિત કરી પ્રેરણા અપાઈ રહી છે ત્યારે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે કચ્છના ઓમકારધામ ધ્યાનતીર્થ ખાતે કચ્છી અને ગુજરાતી સંગીત અને સાહિત્યને વિશ્વ સ્તરે ઉજાગર કરનાર ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કરને ગુરુમૈયા શ્રી હરેશ્વરીદેવીજીને હસ્તે ‘સંગીત સાહિત્ય રત્ન ઍવોર્ડ’ એનાયત થયો.

Read More

મહિલા દિવસ નિમિતે કચ્છની બાળ કલાકારા વાચા ઠક્કરને મળ્યું ‘બાલ સરસ્વતી’ અને ‘બાલ શિરોમણી’ પુરસ્કાર

હાલમાં મહિલા દિવસ નિમિતે સમાજમાં પ્રેરણા સ્તોત્ર બની રહેલ નારી રત્નોનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન થયું ત્યારે સંગીત, કલા, સાહિત્ય અને સમાજસેવા થકી વિશ્વભરમાં કચ્છનું નામ રોશન કરનારી બાર વર્ષીય ગાયિકા, અભિનેત્રી, લેખિકા, કવિયત્રી અને સમાજસેવિકા વાચા ઠકકરને નામાંકિત સંસ્થાઓ ઓમકારધામ ધ્યાનતીર્થ દ્વારા ગુરુમૈયા ડૉ. હરેશ્વરીદેવીજી ને હસ્તે ‘બાલ સરસ્વતી ઍવોર્ડ’ તથા ઓલ ઈન્ડિયા મલયાલી અસોશીએશનના વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી મોહન નાયર અને મહિલા અગ્રણી શ્રીમતી તુલસી સુજાન ના હસ્તે ‘બાલ શિરોમણી ઍવોર્ડ’ એનાયત કરવામાં આવ્યું.

Read More

નારીઓની ઉન્નતિ માટે કાર્યરત કચ્છની મહિલાલક્ષી સંસ્થાઓને મળ્યા ‘વુમન્સ પર્વ પુરસ્કાર’

સમાજમાં નારીઓના સર્વાંગી વિકાસ અને ઉન્નતિ માટે સમર્પિત તથા શિક્ષણ, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિના સંવર્ધન માટે મહિલાઓના નેતૃત્વ હેઠળ સતત કાર્યરત એવી કચ્છની નામાંકિત સંસ્થાઓ ‘ગૂંજે ગીતા કેન્દ્ર’, ‘કાવ્ય નિર્ઝરી’,’વાર્તા વિહાર’ અને ‘માતૃછાયા કન્યા વિદ્યા મંદિર’ ને ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક તરફથી મહિલા દિન નિમિતે ‘ગિવ વાચા ઍવોર્ડ ૨૦૨૪’ અંતર્ગત ‘વુમન્સ પર્વ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યું.

Read More

કચ્છી સાહિત્ય અકાદમી અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે યોજાયું ‘કચ્છી યુવા કવિ સંમેલન’

ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત કચ્છી ભાષાના ઉત્થાન માટે સદા કાર્યરત એવી ‘કચ્છી સાહિત્ય અકાદમી’ અને સંસ્કૃતિનું સંવર્ધન કરવા દસ વર્ષથી સક્રિય સંસ્થા ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘કચ્છી યુવા કવિ સંમેલન’ નું ભુજના ટેન- ઇલેવન લોન્જ ખાતે આયોજન થયું. મહિલા દિવસ નિમિતે યોજાયેલા આ અવસરે સંયોજક ડૉ કૃપેશ નયના શશીકાંત એ અકાદમીના પ્રમુખ શ્રી ભાગ્યેશભાઈ જ્હા અને મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ પ્રત્યે આભાર વ્યક્ત કરીને શબ્દ વંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરી. તો ગિવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ ઉપસ્થિત સૌ મહેમાનો અને શ્રોતાઓને કચ્છી ભાષાને વધાવવા શુભકામનાઓ પાઠવી હતી.

Read More

અંજારના આંગણે યોજાયું ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લીટરેચર ફેસ્ટિવલ’

વૈશ્વિક સાહિત્ય પર્વ રૂપે જ્યારે કૃપ લીટરેચર ફેસ્ટિવલ કચ્છના શહેરોમાં ઉજવાઇ રહ્યું છે, ત્યારે હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે આ પર્વ અંતર્ગત ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લીટરેચર ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન થયું. જેમાં વિવિધ શાળાઓના આચાર્યો અને સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા. આ ઉત્સવમાં બસો થી પણ વધુ બાળકો વાલીઓ સહિત જોડાયા અને ‘શબ્દવંદના’ સાથે સાત ભાષાઓની ગાયન, વાદન અને નૃત્યના મધ્યમથી વંદના કરી.

Read More

‘વસુધૈવ કુટુંબકમ’ ના ભાવથી ઉજવાતા ‘વેલેન્ટાઇન્સ પર્વ’ ની દસમી વર્ષગાંઠ કચ્છમાં ઉજવાઇ

અંજારની સંસ્થા ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના અગ્રણીઓ, સ્વયંસેવકો, સાહિત્યકારો અને બાળકો માવતરો સાથે ‘વેલેન્ટાઇન્સ પર્વ’ની દસમી વર્ષગાંઠ ઉજવવા માધાપર ખાતે શ્રી હરિ શાંતિનિકેતન વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા. દસ વર્ષ પહેલાં અમેરિકાથી પરત થયેલા રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. કૃપેશ ઠક્કર એ વર્ષ ૨૦૧૪માં સૌ પ્રથમ આ પાશ્ચાત્ય દિવસને ‘વસુધૈવ કુટુંબકમ’ ના ભાવ સાથે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં ૭ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ‘વેલેન્ટાઇન્સ પર્વ’ રૂપે ઉજવી યુવાવર્ગને સનાતન સંસ્કૃતિ તરફ વળવાની પહેલ કરી હતી. જેમાં તેમણે ‘ક્યાં છે કાનો’ આલ્બમ લોન્ચ કરી સીતા-રામ અને રાધા-શ્યામને પ્રેમના આદર્શ પ્રતિક ગણાવ્યા હતાં.

Read More

વિશ્વના સૌથી લાંબા સાહિત્ય પર્વ ‘કૃપ લિટરેચર ફેસ્ટિવલ’ નું કચ્છમાં શુભારંભ

હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા આયોજિત કૃપ લિટરેચર ફેસ્ટિવલનું ભુજ ખાતે શુભારંભ થયું. આ ફેસ્ટીવલ 3જી ફેબ્રુઆરી થી 14 ફેબ્રુઆરી સુધી ઉજવાશે. ‘સંગચ્છધ્વં’ ના ભાવ સાથે બાર દિવસ સુધી ચાલનારા અને સાત ભાષાઓ સાથે લોકલ અને ડિજિટલ માધ્યમ થકી યોજાઇ રહેલા આ સાહિત્ય પર્વ એ વિશ્વના સૌથી લાંબા લિટરેચર ફેસ્ટિવલ હોવાનું વિક્રમ સર્જ્યુ છે, જેમાં બૉલીવુડ અને ગુજરાતી મ્યુઝિક તેમજ ફિલ્મ જગતના કલાકારો પણ જોડાયેલા છે.

Read More

Arjun Uvacha: Adhyatmik Jatra | Book Review

ચાલો વાત કરીએ એક પ્રશ્નથી ઉદ્ભવતી યાત્રાની કથા વર્ણવતી પ્રથમ કચ્છી બેસ્ટ સેલર બુક ‘અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રા’ વિષે કે જેમાં એક નવ વર્ષની બાળકી વાચાના માનમાં પ્રશ્ન અવતરે છે અને એ પૂછે છે કે “પપ્પા, કિડા આયં કાનો?” ત્યારે તેના પિતા, લેખક ડૉ. કૃપેશ ઠક્કરને એ પ્રશ્ન તેના ભૂતકાળની યાત્રા એ લઈ જાય છે; જ્યારે એણે પણ પોતાના રહસ્યમયી મિત્ર અર્જુન ને પૂછ્યું “ચોને અર્જુન, કિડા આયં કૃષ્ણ?” અને પ્રશ્ન સાથે જ શરૂ થઈ એક એવી અધ્યાત્મિક યાત્રા કે જે ભક્તિ અને જ્ઞાનનાં સોપાનો સર કરતાં કરતાં, સ્વયં જ્ઞાનરૂપીણી શ્રીમદ ભગવદ ગીતાના દિશા નિર્દેશન થી ડૉક્ટરને લઈ જાય છે તે પ્રશ્નના ઉત્તર સુધી. વિસ્મય તો ત્યારે થાય જ્યારે એ જ યાત્રા પર પુત્રી એ નાના નાના પગલાં માંડ્યા હોય! ત્યારે જ તો યોગ્યતા, પાત્રતા અને બૌદ્ધિકતાના આધાર પર એક બાળક સમજી શકે એમ સંપૂર્ણ યાત્રાનું નવીન સ્વરૂપ અને યુવા વિચારધારા સાથે રૂપાંતર થાય છે. જેમાં ચાલતાં ચાલતાં અંતે ત્રણે પ્રવાસીઓ ડૉક્ટર, વાચા અને અર્જુન, એ ‘અહં બ્રહ્મસ્મી’ ના ઉત્તર સુધી પહોંચે છે.

Read More
Gujarati Articles

વિશ્વસ્તરે માતૃભૂમિનું પ્રતિનિધિત્વ કરતા ડો. પૂજા ઠક્કર | Representing Motherland Globally

વિશ્વસ્તરે માતૃભૂમિનું પ્રતિનિધિત્વ કરતા ડો. પૂજા ઠક્કર. બહુવિધ પ્રતિભાનાં ધની એવાં ડોક્ટર પૂજા ગાયિકા છે, સાથે તેઓ અભિનય પણ કરે છે. કેન્દ્રમાં ગીતાના અધ્યાયો સંગીતમય રીતે ગાવાની તાલીમ પણ આપે છે.

Read More
Gujarati Articles

અંજાર ખાતે ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે શિષ્યોએ ગુરુને આપી અનેરી દક્ષિણા

ગીવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ઈઝી આઈ ડી તથા કપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટરના સંયુકત ઉપક્રમે અંજારની શાળા નંબર ૩ માં ગુરુપૂર્ણિમા પર્વ યોજવામાં આવ્યું હતું. જેમાં સિંગર પર્વ ઠક્કર. વાચા ઠક્કર, ડૉ. પૂજા તથા ગીતકાર, સંગીતકાર અને મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. કૃપેશએ પોતાના આલ્બમ હિટ્સ ઓફ પર્વ ફ્યુઝન બેન્ડ’ નું તેમના ગુરુજનોને હસ્તે લોકાર્પણ કરીને અનોખી ગુરુદક્ષિણા આપી હતી. ડૉ. કૃપેશ આ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

Read More
Gujarati Articles

સાત ચક્રને સંગીતના સાત સૂર સ્થિર કરે છે: અંજારમાં સેમિનાર યોજાયો

ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યૂઝિક તથા ઇઝી આઇડી દ્વારા સંચાલિત કૃપ મ્યુઝિક થેરાપી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા અંજાર ખાતે કચ્છના લોકો માટે ‘મ્યુઝિક થેરાપી ફોર બેલેન્સ્ડ લાઇફ’ની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા મ્યુઝિક થેરાપી પર આધારિત સંશોધનો તેમજ સારવાર થઇ રહી છે, ત્યારે વિશ્વ સંગીત દિવસ નિમિત્તે કચ્છમાં સૌપ્રથમ વખત શિબિરનું આયોજન થયું હતું. શાળાના આચાર્યો તથા શિક્ષકો તેમજ વિવિધ શહેરોમાંથી ૫૦થી પણ વધુ લોકો જોડાયા હતા. મ્યૂઝિક થેરાપિસ્ટ ડો. કૃપેશ ઠક્કરએ જીવનમાં સંતુલન જાળવવા મ્યુઝિક થેરાપીના ઉપયોગ ૫૨ વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત તેઓએ બાળક્લાકાર વાચા ઠક્કર અને ડો. પૂજા ઠક્કર સાથે મળીને સાંગીતિક પ્રયોગ પણ રજૂ કર્યો હતો.

Read More
Gujarati Articles

અંજાર શહેરનાં બાળ કલાકારનાં સાત ભક્તિ ગીતોનાં આલ્બમનું વિમોચન

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના જનજાગૃતિના વૈશ્વિક પ્રોજેક્ટ અંતર્ગત બાળ કલાકાર પર્વ ઠક્કરનાં ધ ક્લબફુટ વોરિયર આલ્બમનું ગુજરાતનાં હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છેલ્લાં છ વર્ષથી ગ્લોબલ ક્લબટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોમાં જોવા મળતી ક્લબફુટ નામની બીમારી અંગે જાગૃકતા ફ્લાવવા પ્રયાસો કરી રહી છે. ક્લબફુટ વોરિયર પર્વ આ પ્રોજેક્ટનાં વૈશ્વિક એમ્બેસેડર તરીકે પોતાની કલા થકી યોગદાન આપી રહ્યો છે.

Read More

મા તત્વ પ્રત્યે કૃતજ્ઞતા અર્પિત કરતું પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’

મા તત્વ પ્રત્યે કૃતજ્ઞતા અર્પિત કરતો શબ્દોત્સવ એટલે ‘અર્જુન ઉવાચ: મા પર્વ’.
‘અર્જુન ઉવાચ: મા પર્વ’ એ ફક્ત એક પુસ્તક નથી, પરંતુ અધ્યાત્મના પથના અદના પથિકની આરંભેલી યાત્રા છે! એક એવી શોધયાત્રા કે જે માતાથી શરૂ થઈ, તેના અગિયાર સ્વરૂપોને શોધતી, પ્રદક્ષિણા કરતી, શબ્દ યાત્રા માંથી તીર્થ યાત્રામાં પરિણામે છે. લેખક અને આ ભાવવિશ્વના દ્રષ્ટા એવા ડૉ. કૃપેશ ઠક્કર, જિજ્ઞાસાની બીજી પરિભાષા સમાં તેમનાં સંતાનો પર્વ અને વાચા, તેમનાં જીવનમાં માતૃત્વનો પર્યાય એવા માતાશ્રી ડૉ. પૂજા ઠક્કર તેમજ જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, કર્મ માર્ગ અને ગીતા માર્ગના તેમનાં સહાધ્યાયી અર્જુન; આમ એક પરિવાર યાત્રા આરંભે છે. જેમાં પ્રત્યેક પાનાં સાથે વાચક પણ પરિવારના સદસ્યની જેમ જોડાતો જાય છે. આ યાત્રાની અનેરી વાત તો એ છે કે જેમ રસ્તો લાંબો હોય, ને થોડા થોડા અંતરે આવતો સાઇન બોર્ડ દિશા સૂચવતો જાય તેમ આ યાત્રામાં પણ પથદર્શક તરીકે એક મહાન સારથિ જોડાય છે, સારથિ કે જે ત્રિલોકના સ્વામી, સમસ્ત સંસારના મહાનાયક, જગદગુરુ, સ્વયં ભગવાન કૃષ્ણ છે અને એ સારથિ રૂપે જોડાય ત્યારે અંતિમ લક્ષ્ય સ્વરૂપે અખિલ સંસાર બાલ કૃષ્ણના મુખમાં નહીં કે ના તો વિરાટ સ્વરૂપે દિવ્ય દૃષ્ટિમાં દેખાય પરંતુ અંતિમ લક્ષ્યમાં બાલ કૃષ્ણને સમસ્ત સંસાર તેની માતા માં દેખાય છે.

Read More
Gujarati Articles

‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ના વિચાર સાથે વુમેન્સ પર્વ ૨૦૨૩ નું આદિપુર ખાતે ભવ્ય કાર્યક્રમ

હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝીક જયારે ૧ થી ૮ માર્ચ સુધી ‘વુમન્સ પર્વ 23’ નું આયોજન કરી રહ્યું છે ત્યારે આદિપુર ખાતે તોલાની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સહિયારા પ્રયાસથી ઇન્ટરનેશનલ  વુમન્સ ડે નું સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યું,. જેમાં ‘નારી હૈ નારાયણી’ પુસ્તકનું વિમોચન, ‘કૃપ ટોક્સ’, ‘બાતે અનકહી વિથ ડૉ. કૃપેશ’ તથા ‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ગીતના લોકાર્પણનું આયોજન કર્યું હતું.

Read More
Gujarati Articles

કચ્છ-ગુજરાતની ગાયિકા એ મેળવ્યું બોલીવુડના ૨૦ સુપરહિટ સોંગ લીસ્ટમાં પ્રથમ સ્થાન

કચ્છ અને ગુજરાતનું ગૌરવ એવી યંગ સિંગર દસ વર્ષીય વાચા ઠક્કરે JioSaavn ના Bollywood Decade 2010s માં છેલ્લા દાયકાના  20 સુપરહિટ સોંગ ની લીસ્ટ માં મેળવ્યું છે પ્રથમ સ્થાન.

Read More
Gujarati Articles

મહાશિવરાત્રી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ઓમ નમઃ શિવાય’ ગીતનું થયું લોકાર્પણ

હાલમાં જ મહાશિવરાત્રી ના રોજ અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ દ્વારા મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી; જેમાં ભદ્રેશ્વર ચોખંડા મહાદેવ મંદિર ખાતે આમંત્રિત મહાનુભાવોના હસ્તે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ઓમ નમઃ શિવાય- ડીજે મિક્ષ’ ભક્તિ ગીતનું લોકાર્પણ થયું.

Read More
Gujarati Articles

Arjun Uvacha: The Spiritual Yatra Book Review by Dr. Ramesh Bhatt

આ પુસ્તકની વિશેષતાઓ તો ઘણી છે, મારા સાહિત્યજગતના ચાલીસ વરસના અનુભવમાં પિતા પુત્રીના સંવાદ સાથે કુરુક્ષેત્રમાં અર્જુનને મનમાં જાગેલા પ્રશ્નોની જેમ અહીં દીકરી વાચાનાં બાળ માનસમાં ‘કૃષ્ણ’, ‘ગલુડીયાંનાં મૃત્યુ’, ‘કૃષ્ણ હોવાની પ્રતીતિનાં સ્થાનો’, ‘કૃષ્ણનો જીવન તત્વો સાથે અનુબંધ’ અને એના પ્રત્યુત્તર રુપે ડૉ.કૃપેશની કાવ્ય રચનાઓનું લય માધુર્ય, શબ્દ વૈભવ, ભાવજગતનું સૌંદર્ય, લાઘવ, માર્દવ યુક્ત કવિકર્મ નવોન્મેષો પ્રતિપાદિત કરે છે.

Read More
Gujarati Articles

23 જાન્યુઆરી ‘યુવા દિવસ’ એટલે નેતાજી શુભાશચંદ્ર બોઝ જન્મજયંતિ

23 જાન્યુઆરીને ભારતમાં ‘યુવા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે કારણકે ભારતના એ મહામાનવ કે જેમણે યુવાઓ માટે પથદર્શક અને આદર્શ રાષ્ટ્રવાદી ક્રાંતિકારી એવા નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897, કટક, ઓરિસ્સામાં થયો હતો. ઈતિહાસકારો માને છે કે એમનું અવસાન ઓગસ્ટ 18, 1945, તાઈપેઈ, તાઈવાનમાં થયેલું છે જે વિવાદાસ્પદ હોતા તેના પર હજુ પણ રીસર્ચ થઇ રહી છે.

Read More

શું છે Esy ID?

Esy ID બધી જ Links ને જોડનારી એક એવી લીન્ક છે જેમાં વ્યક્તિ કે વસ્તુ વિશેની માહિતી, ફોટો, તેની બધી Social Media Links એક જ જગ્યાએ મળી આવે છે. આ રીતે ફક્ત એક સરળ લીન્કથી સંપૂર્ણ માહિતી એક જ ક્લિક દ્વારા શેર કરી શકાય. આ ઉપરાંત તે Esy ID દ્વારા વેરીફાઈડ હોવાથી પ્રોફાઈલ ગુગલ પર પણ સરળતાથી Rank થાય છે.

Read More