વિસર્જન – Dimpal Gor

About Poetry

“વિસર્જન” is a poem by poet Dimple Gor. The poem is a part of the “Naari Hai Narayani: Yatra Naryastu Pujyante” poetry compilation book published under the Shabd Vandana project on account of Women’s Parv 2023.


વિસર્જન

એક બીજ કૂંપળ શું ફૂટયું મારું,
મારી માતાના ગર્ભમાં સખી!
થઈ પહેલા તાલાવેલી મુજને જાણવાની,
પછી સહજતાથી થયું મારું વિસર્જન.

નથી આ વાત મારી કે તમારી,
વાત છે આ નારી યુગો યુગોની.
સમયનાં વહેણની સાથે ભૂસાંતું ગયું,
મારા અરમાનો ના પગલાંઓની છાપ.

અંતે મેં પણ બતાવી મારી અદાકારી,
તે ભૂસાંતાં મારા પગલાંના છાપને.
પવનની વહેતી ડમરીમાં ઓગળાવી,
મારા અસ્તિત્વને આપી નવી ચિનગારી.

લોક, નીંદા,મ્હેણાં, ટીકા કે જુલ્મો,
બન્યાં પછી તે મારા પ્રયાસો ના અસ્તરો.
ધીમે ધીમે ડગ માંડ્યા મેં ખુબ મક્કમતાથી,
પછી ઊભી રહી નીજ પ્રયાસે બની નારાયણી.

સૃષ્ટિની રચના નો અધિકાર હતું મારું જ્યાં,
તે જ મારા જીવનનું સુખદ સંયોગ થયો.
અંતે ઊભી છું હું અબલા મટી નારાયણી,
જગ હવે કહેતું ફરતું નારી તું નારાયણી…..
નારી તું નારાયણી…!


NOTE: The originality of the poetry is confirmed by the author. The author shall be responsible for any liability.


REFERENCES